કુંડલિની અને કુંડલિનીજાગરણ – આ શબ્દો પ્રચલિત તો છે, પરંતુ ખૂબ રહસ્યપૂર્ણ પણ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણની શક્તિઓને પામવા અને સમજવા ઊંડી સાધના અનિવાર્ય છે. કુંડલિનીવિદ્યાની સાધના માટે હઠયોગમાં ત્રણ સાધનો – યોગાસન, પ્રાણાયામ તથા બંધ અને મુદ્રાની ક્રિયાઓ મહત્ત્વની ગણાયેલ છે. આ ત્રણેય ક્રિયાઓ વિશે આ પુસ્તકમાં વિસ્તૃત અને સચિત્ર રજૂઆત થઈ છે. કુંડલિની અને કુંડલિનીજાગરણ વિષયનું ઊંડું, વિશિષ્ટ અને સંપૂર્ણ જ્ઞાન આપતું આ પુસ્તક જિજ્ઞાસુઓને વિષયની સરળ અને સ્પષ્ટ સમજ આપવાના શુભ હેતુથી લખવામાં આવ્યું છે.
લેખક: ભાણદેવ
પુસ્તકનું નામ: કુંડલિની જાગરણ
પાના: 238
બાઈન્ડીંગ: પેપરબેક
ભાષા: ગુજરાતી