Author : Spencer Jhonson (સ્પેન્સર જ્હોન્સન)
આ પુસ્તકમાં ત્રણ સાદાં રહસ્ય છે જે... ઝડપી છે, સરળ છે, અકસીર છે. જીવનની પ્રત્યેક પળ મૅનેજમૅન્ટ વિના પાંગળી છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને આઝાદી માટે ઝઝૂમતા ગાંધીજીના ‘એક ક્ષણ’ના સચોટ નિર્ણયે તેમને ઇચ્છિત પરિણામો આપ્યાં અને તેથી તેઓ તે સમયના શ્રેષ્ઠ ‘વન મિનિટ મૅનેજર’ બની ગયા.
ઘર-પરિવાર, વ્યવસાય કે કોઈ પણ ધંધા-રોજગારમાં કામની અસરકારકતા અને ઇચ્છિત પરિણામની પ્રાપ્તિ માટે દરેકે Updated અને Latest ‘ધ New વન મિનિટ મૅનેજર’ પુસ્તક વાંચવું જ રહ્યું.
સફળતાનાં શિખરો સર કરનારાઓનો ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જેણે ક્ષણ સાચવી લીધી એણે પોતાની સફળતાની સંભાવના વધારી દીધી છે. જ્યારે તમે કોઈનાં કામની કદર કરો છો ત્યારે તમે ભવિષ્યની સફળતાના નિર્માણની શરૂઆત કરી દો છો.