શું તમે જાણો છો આદિ જ્યોતિર્લિંગના પ્રાગટ્યનું અસલી રહસ્ય?
આ નવલકથા એક યાત્રા છે એ સમયની, જ્યારે ચંદ્રના શ્રાપ નિવારણ માટે સ્વયં ભોળાનાથ પ્રભાસ ક્ષેત્રમાં પ્રગટ થયા. કેવી રીતે બન્યું હતું વિશ્વનું પ્રથમ સુવર્ણ મંદિર? દેવશિલ્પી વિશ્વકર્મા અને દેવોના સાંનિધ્યમાં રચાયેલી આ કથા તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે. શ્રદ્ધા, તપ અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમાન આ કૃતિ વાંચીને, સોમનાથના સર્જનની એક અલૌકિક અને રોમાંચક યાત્રાના સાક્ષી બનો.